કોરોનના પગલે ધારીમાં ફરસાણ ની દુકાનમા પડેલ ફરસાણનો નાશ કરવામાં આવ્યો

ધારી,

તા.  ૨૭/૪/૨૦૨૦ કોરોના વાઇરસ ના કારણોસર લોકડાઉન દરમ્યાન તમામ દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યું હતું. જ્યારે આજે કોરોનાની આ મહામારી માથી તંત્ર એ અમુક વ્યાપારીઓને દુકાન શરૂ કરવા જણાવ્યુ હતું ત્યારે ધારી તાલુકામા ફરસાણની દુકાનો મા પડેલ જૂનો ફરસાણ નો નાશ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ હતી.

ધારી ગામ પંચાયત ના એરિયા ધારી ગામ વિસ્તાર મા ફરસાણ ની દુકાનો મા સખ્ત કાર્યવાહી કરવામાં આવી.

ધારી પ્રાંત અધિકારી, ધારી મામલતદાર, ધારી તાલુકા વિકાસ અધિકારી, ગામ પંચાયત સેક્રેટરી સીમાબેન વેગડા, નારણભાઈ વધાવા વગેરે દ્વારા ફરસાણ નો પડતર જથ્થા નો નાશ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment